ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજકીય પાર્ટીઓએ જોરશોરથી પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વલસાડથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના રથમાં જોડાયા હતા. ગૌરવ યાત્રામાં ફરી રહેલા યોગી આદિત્યનાથને વધાવવા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર એકત્રિત થયા હતા. યોગી બે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર કરશે.