કાઠમંડુ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના…

યૂએસ-બાંગ્લા એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન 12 માર્ચ, સોમવારે બાંગ્લાદેશના ઢાકા શહેરથી આવી પહોંચ્યા બાદ નેપાળના કાઠમંડુ શહેરના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ૭૧ પ્રવાસીઓ હતા. એમાંના ૫૦ જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. અન્ય ઘાયલ પ્રવાસીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.