ચંડોળાના અસરગ્રસ્તોને સહાય

અમદાવાદઃ ચંડોળા તળાવ પાસેની ઝુપડપટ્ટીમાં લાગેલી વિકરાળ આગે અનેક પરિવારોને નિરાધાર કરી દીધા હતા, પોતાનું સર્વસ્વ આગમાં ગુમાવી બેઠેલા પરિવારોને તંત્ર તો મદદ કરી જ રહ્યું છે સાથે સાથે મણિનગરમા આવેલા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાને આ સેવાકાર્યની મદદે આવીને નિરાધાર લોકોને અનાજ કિટ સાથે વાસણની કિટ પણ આપીને માનવતાની સાથે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.