ઉદ્ધવ ઠાકરેએ ફાયર બ્રિગેડની અત્યાધુનિક સેવાનું લોકાર્પણ કર્યું…

શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 8 માર્ચ, શનિવારે મુંબઈમાં ભાયખળા વિસ્તારમાં મુંબઈ અગ્નિશમન દળની 'ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ'નું લોકાર્પણ કર્યું હતું. ઠાકરેએ આ પ્રસંગે હેઝમેટ વાહનોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ વાહનો જોખમી રસાયણોને કારણે ફાટી નીકળતી આગનો સામનો કરવામાં અગ્નિશામક દળના જવાનોને મદદરૂપ થશે.