GalleryNews & EventElection 2019Photos ઉદ્ધવ ઠાકરે વારાણસીમાં બાબા કાલ ભૈરવનાં દરબારમાં… April 26, 2019 શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 25 એપ્રિલ, ગુરુવારે રાતે વારાણસીમાં કાલ ભૈરવ મંદિરમાં જઈને કાશી કોતવાલ બાબા કાલ ભૈરવનાં દર્શન કર્યા હતા અને વિધિનુસાર પૂજા પણ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર વારાણસીમાં ભરવાના છે, એ પ્રસંગે એમની સાથે રહેવા માટે ઉદ્ધવ ઠાકરે વારાણસી આવ્યા છે. ઠાકરેએ કાશી કોતવાલને તેલ અર્પણ કર્યું હતું અને એમની આરતી પણ ઉતારી હતી.