રૂપાણી સોમનાથ મંદિરમાં…

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 15 જાન્યુઆરી, સોમવારે સવારે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સોમનાથ મંદિરમાં જઈ પૂજા-અર્ચના અને જળાભિષેક કર્યા હતા. એમની સાથે એમના પત્ની અંજલિબેન રૂપાણી પણ હતાં. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સતત બીજી વાર રાજ્યનું નેતૃત્વ સંભાળ્યા બાદ રૂપાણી પહેલી વાર ભગવાન સોમનાથના દર્શને આવ્યા હતા.