મહાત્મા ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

રાજકોટઃ સ્વદેશ દર્શન યોજના હેઠળ રાજકોટ શહેરમાં નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં રૂ.૨૬ કરોડના ખર્ચથી આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પ્રવાસન સ્થળોના આકર્ષણમાં વધુ એક છોગું ઉમેરાયું છે.