કોલકાતામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ…

પશ્ચિમ બંગાળમાં રાજધાની કોલકાતા અને આસપાસના હાવડા સહિતના વિસ્તારોમાં 17 એપ્રિલ, મંગળવારે રાતે ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. વાવાઝોડામાં 12 વ્યક્તિએ જાન ગુમાવ્યો છે. કોલકાતામાં ઠેર ઠેર રસ્તાઓ પરથી ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અમુક સ્થળે મકાન હોનારત પણ થઈ છે.