વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા ખાતે તિરંગો ફરકાવ્યો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 73મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે પરંપરાગત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને ધ્વજને સલામી આપી હતી. મોદીએ એમના સંબોધનમાં કહ્યું, દેશમાં અનેક ભાગોમાં પૂર, ભારે વરસાદની આફત આવી છે એનાથી દુઃખ અને પરેશાની થઈ છે. મોદીએ જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ દૂર કરાઈ એ વિશે કહ્યું કે જે કામ 70 વર્ષમાં નહોતું કરાયું એ અમારી સરકારે સત્તર દિવસમાં કરી બતાવ્યું છે.






વડા પ્રધાન મોદીએ આ સતત છઠ્ઠી વાર લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે.