લોકસભા ચૂંટણીઃ ભાજપનું સંકલ્પપત્ર ઘોષિત…

શાસક ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તેનું ઘોષણાપત્ર (ચૂંટણીઢંઢેરો) 8 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાં બહાર પાડ્યો હતો. આ ઘોષણાપત્રને પાર્ટીએ સંકલ્પપત્ર નામ આપ્યું છે. પક્ષના મુખ્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ સંકલ્પપત્ર રિલીઝ કરવામાં આવ્યું હતું. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ અમિત શાહ, મેનિફેસ્ટો કમિટીના વડા રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ તથા અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.