હિમાચલમાં મોદીનો હુંકાર

હિમાચલ પ્રદેશઃ વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના રેહાનમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે એવા લોકોને અલવિદા કરવાનો સમય આવી ગયો છે કે જેમણે હિમાચલને લૂંટ્યું છે. તો સાથે જ મોદીએ જણાવ્યું કે ખનીજ માફીયાઓ, વન માફીયાઓ અને ડ્રગ તેમ જ ટેન્ડર માફીયા જેવા દાનવોથી જનતાને મુક્તિ અપાવવાનો સમય પાકી ગયો છે.