દ્વારકાધિશને નતમસ્તક પીએમ

દ્વારકા- દેવભૂમિ દ્વારકામાં સ્ટેઇડ બ્રિજ ભૂમિપૂજન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યાં હોય અને શ્રી દ્વારિકાધીશને નમન કરવા ન પહોંચે તે બને જ કેવી રીતે…પીએમ મોદી જગતમંદિરમાં દ્વારિકાધીશને ચરણે નમન કરવા પહોંચ્યા હતાં.

તેમણે શ્રી દ્વારિકાધીશ પીઠિકા સામે ઘડીક ધ્યાન પણ ધર્યું હતું. પૂજારીઓએ પીએમને શ્રીજીના સોનાના ચરણ, છડીનો પાવન સ્પર્શ કરાવ્યો હતો.