નીતા અંબાણી સિદ્ધિવિનાયક મંદિરમાં…

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી 6 જૂન, બુધવારે એમનાં નાના પુત્ર અનંતની સાથે મુંબઈમાં દાદરસ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં એમણે એમનાં મોટા પુત્ર આકાશની સગાઈની આમંત્રણપત્રિકા ગણપતિ ભગવાનના ચરણોમાં ધરી હતી. આકાશ અને શ્લોકા મહેતાની સગાઈ 30 જૂને યોજવાનું નક્કી થયું છે.