એવોર્ડવિજેતા શિક્ષકો વડા પ્રધાન મોદીને મળ્યાં…

શિક્ષકદિનની પૂર્વસંધ્યાએ, 4 સપ્ટેંબર, મંગળવારે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારોનાં વિજેતા શિક્ષકો નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એ પ્રસંગે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હતા.

શિક્ષકો સાથે વાતચીત કરતા વડા પ્રધાન મોદી. એમની બાજુમાં પ્રકાશ જાવડેકર છે.