મ્યાંમારના સૂ કી રાષ્ટ્રપતિભવનમાં…

mનવી દિલ્હી- મ્યાંમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત નવી દિલ્હીના રાષ્ટ્રપતિભવનમાં યોજાઇ હતી. રોહિંગ્યા સંકટ સામે પગલાં લેવામાં આંગ સૂ કીની આંતરરાષ્ટ્રીય સ્તરે આલોચના કરવામાં આવી હતી. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે એકમંચ પર આવેલાં સૂ કી ભારત સાથે વધુ મજબૂત સંબંધની તરફેણમાં રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી રહ્યાં હતાં.