બાપુને શ્રદ્ધાંજલિ અર્પતાં મહાનુભાવો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણતિથિએ આજે સમગ્ર રાષ્ટ્ર નતમસ્તિષ્ક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટોચના મહાનુભાવો ઉપસ્થિત થયાં હતાં. રાજઘાટ સ્થિત ગાંધી સમાધિ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સર્વધર્મ સમભાવ પ્રાર્થના યોજાઇ હતી.