મુંબઈમાં નૌકાદળે બાળકો સંગ ઉજવ્યો કારગીલ વિજય દિવસ…

26 જુલાઈ, શુક્રવારે 20મા 'કારગીલ વિજય દિવસ'ની મુંબઈમાં ભારતીય નૌકાદળે વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. દક્ષિણ મુંબઈમાં આવેલા નેવલ ડોકયાર્ડ ખાતે શાળાનાં બાળકોને INS ચેન્નાઈ અને INS મુંબઈ જહાજો પર આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમને નૌકાદળનાં આ જહાજોની કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ બંને જહાજ જાહેર જનતાનાં દર્શન માટે 26 જુલાઈ ઉપરાંત 27 જુલાઈ, એમ બે દિવસ માટે ખુલ્લા રાખવામાં આવશે. (તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)