ગાંધી વંદના અને રેંટિયા અંગેની માહિતી આપતો ખાસ કાર્યક્રમ

અમદાવાદઃ આજે ગાંધી આશ્રમ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધી વંદના અને રેંટિયા અંગેની માહિતી અને સ્વચ્છતા ઝુંબેશ અંગેની જાગૃતી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો પણ જોડાયા હતા. મહત્વનું છે કે બાળકોમાં ગાંધી વિચાર પ્રગટે અને સ્વચ્છતા સહિતના મુદ્દે બાળકો કે જેઓ ભારતનું ભવિષ્ય છે તેમના માનસ પટ પર આ વિચારો અત્યારથી જ અંકિત થાય તે જરુરી છે.