ગણપત વસાવા અને જસવંતસિંહ ભાભોર સોમનાથના શરણે

સોમનાથઃ રાજ્યપ્રધાન જસવંત સિંહ ભાભોર આજે પરિવાર સાથે પ્રાતઃ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ તેઓએ મહાદેવજીની પૂજા પણ કરી હતી. તો આ સીવાય કેબીનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાએ પણ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. સોમનાથમાં ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની માહિતી પણ તેમણે મેળવી હતી. બંન્ને મહાનુભાવોનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્ન્માન કરવામાં આવ્યું હતું.  uj