મુંબઈ જુહૂ ચોપાટીઃ ગણેશ વિસર્જન પછીના દિવસની સ્થિતિ…

મુંબઈમાં 12 સપ્ટેંબર, ગુરુવારે ગણેશ વિસર્જન પર્વની ઉજવણી કરવામાં આવી એ સાથે જ ગણેશોત્સવ-2019નું સમાપન થયું. ગુરુવારે જુહૂ બીચના દરિયામાં નાની-મોટી હજારોની સંખ્યામાં ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ગુરુવારે બપોરથી તે વહેલી સવાર સુધી બીચ પર માનવમહેરામણ ઉમટેલો રહ્યો હતો. પરંતુ 13 સપ્ટેંબર, શુક્રવારે સવારે દરિયાકિનારો સંપૂર્ણપણે સ્વચ્છ દેખાતો હતો. મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કામદારો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનાં સ્વયંસેવકોના સહિયારા પ્રયાસોનું આ પરિણામ છે. સ્વચ્છતા ઝુંબેશ પ્રતિ મુંબઈગરાંઓ કેટલા બધા સજાગ-જાગ્રત છે એનો આ તસવીરો બોલતો પુરાવો છે. બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ જુહૂ બીચની મુલાકાત લીધી હતી. (તસવીરોઃ મૌલિક કોટક)