કેન્દ્રીય વનપ્રધાન સોમનાથ દર્શને

સોમનાથ– વિશ્વ વન્યજીવન દિવસના કાર્યક્રમમાં ગુજરાત આવેલાં કેન્દ્રીય વનપ્રધાન ડો.હર્ષવર્ધન સોમનાથ મંદિરના દર્શને પણ આવ્યાં હતાં.તેમનું સ્વાગત શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે. ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. હર્ષવર્ધને સોમનાથદાદાના અભિષેક, પૂજાસામગ્રી મહાદેવને અર્પણ કર્યા બાદ તત્કાલ મહાપૂજા સજોડે કરી ધન્યતા વ્યક્ત કરી હતી.કેન્દ્રીયપ્રધાનનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.