‘જીવનસંધ્યા’માં BSF જવાનોનો પ્રોગ્રામ

અમદાવાદ- શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા ઘરડાં ઘરના પ્રાંગણમાં ગત રાત્રે એક અનોખું દ્રશ્ય સર્જાયું. સામાન્ય રીતે દેશની સીમાઓની રક્ષામાં વ્યસ્ત રહેતાં બીએસએફના જવાનોએ પોતાના ગીતસંગીત, કળાની પ્રસ્તુતિ વડીલો સામે રજૂ કરી હતી. (તસ્વીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)ગીતસંગીત, ફ્યુઝન સાથે બીએસએફના જવાનોએ પોતાને દિવસ અને રાત્રિ દરમિયાન મળતી હથિયારોની તાલીમનું નિદર્શન પણ કર્યું હતું. આ કાર્યક્મમાં બીએસએફના ઉચ્ચ અધિકારી અજયકુમાર તોમર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.