PMએ કર્યો મીડિયા સાથે વાર્તાલાપ

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલા મીડિયાને નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ સત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. આખુ વિશ્વ ભારતની અર્થવ્યસ્થા પ્રત્યે આશાવાન છે. તો વડાપ્રધાને જણાવ્યું કે ભારતની પ્રગતિ પર દુનિયાની તમામ એજંસીઓએ મોહર લગાવી છે. વડાપ્રધાને જણાવ્યું કે આ બજેટ દેશની તેજ ગતીથી આગળ વધી રહેલી અર્થ વ્યવસ્થાને વધારે ઊર્જા અને વેગ આપશે.