ઉત્તરાયણમાં ઉંધિયા, જલેબીની મોજ…

અમદાવાદમાં 14 જાન્યુઆરી, સોમવારે મકરસંક્રાંતિ/ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઘણે સ્થળે ફરસાણની દુકાનોમાં ઉંધિયું, જલેબી જેવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવાતી અને વેચાતી જોવા મળી હતી. આ વાનગીઓ ખરીદવા માટે એવી દુકાનો ખાતે લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. મકરસંક્રાંતિ પર્વમાં ગૌ પૂજા અને દાનનું વિશેષ મહત્વ હોય છે. તેથી ઘણા લોકો ગાયને ઘાસ ખવડાવતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)