વાદળો વરસ્યાં પણ ખરાં…

અમદાવાદ- બે દિવસથી વાતાવરણમાં આવેલો પલટો આજે પણ યથાવત સ્થિતિ જાળવી રહ્યો છે. વાદળોથી ઘેરાયેલા આસમાનમાં સૂર્યનારાયણના દર્શન શહેરીજનોને દુલર્ભ બની રહ્યાં છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સવારે માવઠું પણ પડ્યું હતું. રજૂ થયેલી તસવીર અમદાવાદના દર્પણ પાંચ રસ્તા પાસેની છે. ઊનાળો ટાઇમટેબલ ચૂકી ગયો હોય અને સીધું ચોમાસું બેઠાં જેવો ઘાટ ઘડાતાં શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે..

તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ