જગન્નાથ મંદિરેથી જળયાત્રા…

અમદાવાદ– અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ તે પૂર્વે જેઠ સુદ પૂનમ ગુરુવાર ૨૮ જૂનના રોજ જગન્નાથજીના મંદિરેથી સાબરમતી નદી સુધી જળયાત્રા નીકળશે.  આ યાત્રા પણ ધ્વજા પતાકા, બેન્ડવાજા, શણગારેલા ગાડા, ભજન મંડળીઓ અને હાથી સાથે નીકળશે.  જળયાત્રા  વાજતેગાજતે સોમનાથ ભૂદરના આરે જશે., ત્યાંથી ૧૦૮ ઘડામાં જળ ભરી મંદિરે લાવી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ