અમદાવાદમાં બાલવાટિકામાં રાઈડ તૂટી પડતાં 3નાં મરણ…

અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા તળાવ નજીક આવેલા બાલવાટિકા ઉદ્યાનમાં 14 જુલાઈ, રવિવારે સાંજે પેન્ડ્યૂલમ જોયરાઈડ અચાનક તૂટી પડતાં ત્રણ જણનાં કરૂણ મોત નિપજ્યા છે અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.