પદવીદાન સમારંભમાં અંબાણી…

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ૨૩ સપ્ટેંબર, શનિવારે ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યૂનિવર્સિટી ખાતે આયોજિત ૬ઠ્ઠા વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. એ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત હતા.