ગાંધીજયંતી નિમિત્તે પોરબંદર સ્ટેશન રોશનીથી સુશોભિત…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીજીના વતન પોરબંદર શહેરના રેલવે સ્ટેશનને 2 ઓક્ટોબર, બુધવારે રાતે પશ્ચિમ રેલવે વહીવટીતંત્રએ આ રીતે રંગબેરંગી રોશનીથી સરસ રીતે સુશોભિત કર્યું હતું. પશ્ચિમ રેલવેએ આ જ રીતે મુંબઈમાં મુંબઈ સેન્ટ્રલ, ચર્ચગેટ અને બારડોલી સ્ટેશનોને પણ રોશનીથી શણગાર્યા હતા.