કવિ દલપત પઢિયારને નરસિંહ મહેતા એવૉર્ડ

જૂનાગઢઃ દલપતભાઇ પઢિયારને રામ કથાકાર મોરારિબાપુના વરદહસ્તે નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાયો છે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતાના શ્રેષ્ઠ સર્જકને અપાતો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મહેતા એવોર્ડ મોરારિબાપુએ શરદપૂર્ણિમાની શીતળતાની સાક્ષીએ ગિરનારની ગોદમાં રૂપાયતનના પરિસરમાં દલપતભાઇ પઢિયારને એનાયત કર્યો છે.દલપતભાઇ પઢિયારને નરસિંહ મહેતા એવોર્ડમાં આદ્યકવિ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અને પુરસ્કાર રાશી સ્વરૂપે રૂા.૧,૫૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.