મદદની દીવાળી

અમદાવાદમા ઘણી સંસ્થાઓ માનવતાનો સાદની આહલેક જગાવતી હોય છે અને કારમી મોંઘવારીમાં મધ્યમ-ગરીબ વર્ગના લોકોને દીવાળીની સાચી ઉજવણી કરી શકે તે માટે આવા પરિવારોને પૂરતી મદદ પહોંચાડતી હોય છે. આજે મંગળવારે ધનતેરસના શુભ દિવસે અમદાવાદના મણિનગરના જવાહર ચોક ચાર રસ્તા પર જયહિદ સેવા સમિતિએ ૧૨૫ ગરીબ પરિવારોને બે મહિનાનું કરિયાણું આપીને ઉમદા કાર્ય કર્યું હતું.