હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનું નવી દિલ્હીમાં સિરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે PHD ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘ગાતા રહે મેરા દિલ’ કાર્યક્રમમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ, ભાજપના દિલ્હી એકમના પ્રમુખ મનોજ તિવારી, PHD ચેંબરના પ્રમુખ ગોપાલ જીવરાજકા, બે ચેરમેન – મુકેશ ગુપ્તા અને રાકેશ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.