દિલજીતની મીણની પ્રતિમા મૂકાશે…

બોલીવૂડ અભિનેતા દિલજીત દોસાંજની મીણની પ્રતિમા ટૂંક સમયમાં વિશ્વ વિખ્યાત મેડમ તુસાદના દિલ્હીસ્થિત મ્યુઝિયમમાં મૂકવામાં આવનાર છે. એ માટે મ્યુઝિયમનાં નિષ્ણાત આર્ટિસ્ટ્સ મુંબઈ આવીને દિલજીતનું માપ લઈ ગયા હતા. દિલજીત દોસાંજે હાલમાં જ રિલીઝ થયેલી ‘સૂરમા’ ફિલ્મમાં શિર્ષક ભૂમિકા ભજવી છે.