ઉમા ભારતીએ મા અંબાના દર્શન કર્યા

કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સાધ્વી ઉમા ભારતી બનાસકાંઠાની મુલાકાત દરમીયાન આજે શુક્રવારે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરે પહોંચતાં તેમનું તથા તેમની સાથે રાખેલાં ભગવાન શ્રી ક્રૂષ્ણ(ઠાકુરજી)ની મંદિર ટ્રસ્ટ દ્વારા વૈદીક મંત્રોચ્ચારથી સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન ઉમાભારતી એ મંદિરનાં નીજ ભાગમાં મા અંબાની પૂજા-અર્ચના સહિત કપુર આરતી કરી હતી અને ત્યાર બાદ માતાજીની ગાદીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. ઉમાભારતીએ ગુજરાતમાં ભા.જ.પ અને કેન્દ્રમાં મોદી સરકાર અખંડ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં દેશ માં કોંગ્રેસ ની હાલત ખુબ ખરાબ હોવાનું જણાવી કોંગ્રેસનાં ટોચના નેતાઓ બોલવાની સભ્યતા ગુમાવી હોવાનું જણાવ્યું હતું. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)