મોદીએ તીર છોડીને કર્યું રાવણનું દહન…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દશેરા નિમિત્તે દિલ્હીના લાલકિલ્લા મેદાન ખાતે શ્રી લવકુશ રામલીલા કમિટી દ્વારા આયોજિત રાવણદહન કાર્યક્રમમાં તીર છોડીને રાવણના પૂતળાના દહનનો આરંભ કરાવ્યો હતો. એ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, એમના પત્ની તથા કેન્દ્રીય કેબિનેટના અનેક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.