ગાંધીબાપુનું જીવન જ તેમનો સંદેશ છે…

મોહનદાસ કરમચંદ ગાંધી (જન્મ 2 ઓક્ટોબર, 1869 - પોરબંદર : નિધન 30 જાન્યુઆરી, 1948 - દિલ્હી) ભારતની આઝાદીની લડાઈના કેન્દ્રબિંદુ હતા. તે એવા વ્યક્તિ હતા જે સત્તાથી દૂર રહેવા છતાં આજે પણ કરોડો ભારતીયોનાં દિલો પર રાજ કરી રહ્યા છે. ગાંધીજી પરિવર્તન લાવ્યા. લોકોની આંતરિક શક્તિને જગાડીને તેમને સ્વયં પરિવર્તન લાવવા માટે જાગૃત કર્યા હતા. ભારત દેશ આજે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી ઉજવી રહ્યો છે ત્યારે બાપુની સ્મૃતિમાં આ તસવીરી ઝલક અહીં પ્રસ્તુત છે... (માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રકાશિત વિશેષ અંકમાંથી સાભાર)


પોરબંદરનું ઘર... મોહનદાસ ગાંધીનું જન્મસ્થળ


મહાત્મા ગાંધીના માતા પૂતળીબાઈ


ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી


બાળ મોહન 'મોનિયો' 7 વર્ષની ઉંમરે


ગાંધીજીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ


બેરિસ્ટર ગાંધીઃ 1891ની 10 જૂને બેરિસ્ટર થયા. 11મીએ ઈંગ્લેન્ડની હાઈકોર્ટમાં નામ નોંધાવ્યું.


કસ્તુરબા ગાંધીઃ 'મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું.'


દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહી ગાંધીજી


બાપુના વાળ કાપતા અબ્બાસભાઈ ખુશાલભાઈ વરતેજી


દાંડીના માર્ગે સત્યાગ્રહીઓ સાથે બાપુ


ચપટી મીઠું ઊઠાવ્યું અને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા - 6 એપ્રિલ, 1930


બાપુની ચિરવિદાય... મૃત્યુ મરી ગયું... 30 જાન્યુઆરી, 1948


સ્મશાનયાત્રાનું દ્રશ્ય


ચંદનની એ ચિતા - 'મને વીસરી જાઓ. મારા નામને ન વળગો, તત્ત્વને વળગો, તમારી પ્રત્યેક હિલચાલને ગજથી માપો.'


ગાંધીબાપુની સમાધિ, રાજઘાટ, દિલ્હી, 1948