ગિરનાર પરિક્રમાનો શુભારંભ

ગઈકાલ મધરાતથી ગિરનાર પરિક્રમાનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો છે. જોકે 4 લાખ જેટલા ભાવિકભક્તોએ યાત્રા શરુ થયા પહેલાજ પરિક્રમા કરી લીધી છે.

ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમામાં ભાવિકોની વાસ્તવિક સંખ્યાની ગણતરી થઈ શકે એ માટે નળપાણીની ઘોડી ખાતે વનવિભાગે ખાસ ગણતરી પોઇન્ટ ગોઠવ્યો છે. જ્યાં પ્રત્યેક પરિક્રમાર્થીની ગણતરી કરવામાં આવશે. જે મુજબ 31 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે સાડા ચાર પરિક્રમાર્થીઓએ નળપાણીનો પોઇન્ટ વટાવી દીધો હોવાનું નોંધાયું છે.