અધિક માસની એકાદશીએ મંદિરોમાં ગૌ પૂજન

અમદાવાદ– હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસનું ખૂબ જ મહત્વ હોય છે. એમાંય આજે અધિક માસની એકાદશી છે જેને પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજ ના દિવસે તમામ મંદિરોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું સાથે ગૌ પૂજન પણ થયું. પ્રસ્તુત તસવીર અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની છે જ્યાં ભજન-કીર્તન-અન્નદાન સાથે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું.