દીવાળીઃ રામ કથાની થીમ પર ડેકોરેશન

 

અમદાવાદઃ દિવાળીને અનોખી રીતે ઉજવવા માટે અમદાવાદ વન મોલ દ્વારા સ્પેશિયલ રામની પૌરાણીક કથાના પ્રસંગને અનુરૂપ ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. મહોરાં પહેરેલા નૃત્ય સ્વરૂપને આધારે થાઈલેન્ડ સુંદર દ્રશ્યો બતાવશે અને કલાત્મક સુશોભન દ્વારા ઈન્ડોનેશિયા રામના અયોધ્યામાં આગમનને દર્શાવશે. અનોખી ડિઝાઈન ધરાવતાં શિલ્પો રજૂ કરવામાં આવશે અને ઈન્ડોનેશિયાની શો પપેટ્રી મોલની દિવાલો ઉપર મોટાં ચિત્રો અને અનોખી શિલ્પ ડિઝાઈનો પ્રદર્શિત કરવામાં આવશે. રામના માટેનો અહોભાવ વ્યક્ત થશે અને આ પ્રસંગે  મ્યાનમાર, કંબોડીયા, મલેશિયા અને ઈન્ડોનેસિયામાં રામની કથાના આધારે  ઉભરેલા કલા સ્વરૂપોનું  આલેખન કરાશે.