મુંબઈઃ ગણેશ ભક્તો દ્વારા ગણપતિ વિસર્જન…

મુંબઈમાં 12 સપ્ટેંબર, ગુરુવારે અનંત ચતુર્દશી, ગણપતિ વિસર્જનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની વિરાટ કદની પ્રતિમાઓને ભક્તો દરિયામાં વિસર્જન માટે સરઘસાકારે લઈ જવા જોવા મળ્યા હતા. તો કેટલાક લોકો અંગત રીતે પોતાને ઘેર સ્થાપન કરેલા ગણપતિની મૂર્તિનું જુહૂ ચોપાટીના દરિયામાં વિસર્જન કરાવવા માટે લઈ આવ્યા હતા. (તસવીરોઃ માનસ સોમપુરા)