ભગવાન જગન્નાથજી મંદિરમાં રથોનું પૂજન કરાયું

અમદાવાદ– અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે અનેક શુભ કાર્યો થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે વહેલી સવારે રથનું પૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ