ઘૃણાની સામે દયાભાવ જીતે…

હમણાં જ થયેલા ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે બધા ભારતીય કૂતરાઓની નસલ કનિસ લુપ્સ ચાંકોના વંશ છે, જે ઉત્તર-પશ્ચિમી ભારતના પ્રાચીન અને અદ્વિતીય વરુ છે. દેશમાં કૂતરાઓની સાથે ભારતીયોનો સંબંધ આદિ કાળથી ચાલ્યો આવે છે. એ યમના દૂત છે. મહાભારતમાં યુધિષ્ઠિરે કૂતરા વગર સ્વર્ગમાં પ્રવેશ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને એ માલૂમ પડ્યું કે દેવતા તેમની પરીક્ષા કરી રહ્યા હતા, ત્યારે તેઓ કૂતરા સાથે સ્વર્ગમાં પહોંચ્યા હતા. 

પ્રારંભિક વેદિક સાહિત્યથી માલુમ પડે છે કે કૂતરાને પ્રાણીઓના બોજ અથવા પૂજાતા પ્રાણીઓની તુલનામાં વધુ ઘરેલુ પ્રાણી ગણવામાં આવે છે.  ભોપાલની પાસે ભીમબેટકામાં ખડકમાં કોતરણીમાં એક વ્યક્તિ નર કૂતરાને કાબૂમાં રાખતાં બતાવે છે.

કૂતરા એ મોટા ભારતીય માનવ સમુદાયનો હિસ્સો

એક રસપ્રદ સમકાલીન અભ્યાસ ભારતીય પરિયા કૂતરા (ઉર્ફે કૂતરાનું ભારતીય મૂળ) છે. કેટલાક cynologists માટે એક સાચા પરિહા વરુની જેમ એક પેકની સાથે સ્પષ્ટતા કરવી પડશે. દેશમાં છેલ્લા 11 મહિનામાં સ્થાનિક લોકો દ્વારા શ્વાનના નિરીક્ષણ દરમ્યાન જેને સ્ટ્રે અથવા પરિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને મેં પેક્સમાં એકત્ર નથી જોયું અને એ રીતે એમને જંગલી નથી માની શકાતા. એને બદલે આ કૂતરા મજબૂત ક્ષેત્રીય વ્યવહાર પ્રદર્શિત કરે છે. આ કૂતરા એક ગામથી સંબંધિત હશે અને માનવ વસતિના ભોજનના એંઠવાડ (વધેલું ભોજન) પર નભે છે, જેનો અર્થ છે કે સ્ટ્રીટ ડોગ જગલી નથી. બલકે મોટા ભારતીય માનવ સમુદાયનો હિસ્સો છે. 

રખડતા કૂતરા ઉપદ્રવી નથી

ભારતીય શહેરોના મોટા ભાગના રખડતા કૂતરા ઉપદ્રવી નથી. સૌથી ગરીબ, બાળકો અને રખડતા ગલૂડિયાની વચ્ચે સંબંધ- બંને રસ્તા પર બચ્યા છે.  આંશિક રીતે ભારતમાં માનવ અને કૂતરાની જાતોના સફાઈ કામદારો વચ્ચેની સહનશીલતાના સરેરાશ સ્તરને વધુ સમજાવી શકે છે. જ્યારે રખડતા કૂતરાઓને ઘણી જગ્યાએ અવગણવામાં આવે છે અને પશુ ચિકિત્સની યોગ્ય સારવારના અભાવે પીડાય છે. જોકે આટલી ગરીબીવાળા દેશમાં ખૂબ આનંદદાયક વાત છે કે અનેક સામાજિક સમસ્યાઓ છતાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો પ્રાણીઓના કલ્યાણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રાણીઓ માટે દયાભાવ રાખે છે. જયપુરમાં હાલમાં વર્ષોમાં રખડતાં કૂતરાની નસબંધી, રસીકરણ અને સુરક્ષા માટે પશુ કલ્યાણ સંસ્થાઓ દ્વારા નક્કર પ્રયાસના પરિણામસ્વરૂપ કેનાઇન-ટુ-હ્યુમન રેબિઝ ટ્રાન્સમિશનના કોઈ મામલા સામે નથી આવ્યા.

સહિષ્ણુતાનો સ્તર અદભુત છે અને હિન્દુ સંબંધિત જોઈ શકે છે. ડો. જોનસિંહ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ફેકલ્ટી ઓફ વાઇલ્ડ સાયન્સિસના નિવૃત્ત ડીન છે. ડો. જોનસિંહ હાલમાં ડબ્લ્યુડબ્લ્યુએફ ઇન્ડિયાના એક વૈજ્ઞાનિક સલાહકાર જણાવે છે, કેમ કે રખડતા કૂતરાનાં શહેરોમાં ભારે પ્રમાણમાં કચરો હોય છે, કેમ કે જ્યાં સુધી ખાદ્ય સપ્લાયને ઓછો કરવામાં નહીં આવે, ત્યાં સુધી કૂતરાની સંખ્યામાં ઘટાડો નહીં થાય.

કૂતરાને લઈને ભારતમાં લોકોમાં વલણ કંઈક એવું છે, જેના પર ડો. અમિતા સિંહે ઘણો વિચાર કર્યો. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સ્ટડી ઓફ લો એન્ડ ગવર્નન્સના ચેરપર્સન છે. પ્રોફેસર સિંહ જણાવે છે કે ભારતમાં ત્રણ પ્રકારના લોકો છે, જ્યારે કૂતરાના પ્રત્યે તેમના વર્તનની વાત આવે છે ત્યારે.

પહેલી શ્રેણીના એ લોકો જે છે કૂતરા પ્રત્યે દયાભાવ રાખે છે અને એમનું મહત્ત્વ સમજે છે. તેમાં ખાસ કરીને સિનિયર સિટિઝનો અને ગરીબ લોકો છે. એ અહીં સુધી કે તેઓ ભાગ્યે જ કૂતરાને ખાવાનું ખવડાવે છે, એમ તે કહે છે. 

ધાર્મિક માન્યતાઓને આધારે કૂતરા માટે આત્મીયતા

બીજા પ્રકારના લોકો એ છે, જેઓ ધાર્મિક માન્યતાઓને આધારે કૂતરા માટે આત્મીયતા રાખે છે. સાંઈ બાબા ધાર્મિક આંદોલન વખતે આ કેટેગરીમાં લોકોની સંખ્યામાં વધારો થયો હતો, જેમના લાખો અનુયાયીઓ છે. ગુરુના આદેશ મુજબ કૂતરાને રક્ષણ આપવાથી અને જો લોકો કૂતરાને ખાવાનું ખવડાવે છે તો તેમનાં પાપ કૂતરામાં જતા રહે છે. સાંઈ બાબાના ગ્રુપની જીવનકથા એમને કૂતરાની કંપનીમાં બતાવે છે, જે સંભવતઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની દિવ્ય ત્રિમૂર્તિના અવતાર દત્તાત્રેયની સદીઓ જૂની પ્રતીક વિદ્યાથી સંબંદ્ધ છે, જે હજી પણ પશ્ચિમી ભારતમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ડો. સિંહાએ કહ્યું હતું કે એક વાર્તા છે, જે ભક્તની વાર્તામાં જણાવવામાં આવ્યું છે કે જે સાંઈબાબા માટે ભોજન તૈયાર કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક કૂતરો ખાવા માટે આવે છે, પણ તે એ કૂતરાને લાકડીથી મારે છે, જે એક લાકડીથી ગુરુ માટે ભોજન કરવાના પ્રયાસ છે. ડો. સિંહ યાદ કરીને કહે છે કે ગુરુ તમે ભોજન માટે નથી આવતા, એટલે જ્યારે માણસ પૂછે કે સાંઈબાબા તમે કેમ નથી આવ્યા, ત્યારે તેઓ કહે છે કે તેઓ ખાવા માટે આવ્યા હતા, પણ તમે મને લાકડીથી માર્યો હતો. 

ત્રીજા પ્રકારના કૂતરા પ્રેમી ભારતના ભૂતપૂર્વ શાસક બ્રિટિશરોનું અનુકરણ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જેનાથી સેના નેતાઓ હંમેશા કૂતરા રાખતા હતા, પણ કેટલાક અવલોકનકારો જેવા કે ડો. સિંહ કહે છે કે એ મોર્ડન દિવસોમાં રાજકર્તાઓ અમુક ઊંચી જાતના નસલના કૂતરા પસંદ કરતા હતા, સ્વાર્થી, કેમ કે તેઓ પાળતુ કૂતા માટે સારા છે, કારણ કે એ રસ્તા પરના કૂતરા માટે જોખમી છે અને અહીં સુધી કે તેઓ રખડતા કૂતરાને મારવાની વકાલત કરે છે.

સમાજના લોકો પાસે કૂતરા સંબંધિત અલગ દ્રષ્ટિકોણ

ભારતીય સમાજના લોકો પાસે કૂતરા સંબંધિત અલગ દ્રષ્ટિકોણ છે. આ દેશ કેટલાક દેશોમાંથી એક છે, જ્યાં મનુષ્યો અને કૂતરાની વચ્ચે લગ્ન થાય છે. આ તથાકથિત લગ્ન સામાન્ય રીતે સ્ત્રી જીવનસાથી પર લગાવવામાં આવેલા શાપો (દોષો)થી મુકત થવા માટે કરાવવામાં આવે છે.   

દેશમાં અંધશ્રદ્ધા બહુ

હાલમાં તામિલનાડુના એક ખેતમજૂરે જ્યોતિષીની સલાહ અનુસાર રખડતી કૂતરીથી લગ્ન કર્યાં હતાં. તેણે શાપને દૂર કરવા માટે બે કૂતરાને મારીને અને એક ઝાડ પરથી એને લટકાવી દીધાં હતાં. કેનાઇન કિલર પોતાની વર્તણૂકથી આંશિક પેરાલિસિસ અને સાંભળવાની શક્તિ ગુમાવવા સહિતની શારીરિક બીમારીઓનો સામનો કર્યો હતો. ભારતમાં આદિવાસી યુવતીઓને  ભૂતપ્રેત બચાવવા કૂતરાથી લગ્ન કરાવવામાં આવે છે, જે ઘણું જોખમ છે. કુદરતની પૂજા કરતી મુંડા જનજાતિની યુવતીઓનાં ત્યારે લગ્ન કરાવવામાં આવે છે, જ્યારે તેમના દાંત પ્રાણીઓના હુમલા સામે પ્રતિરક્ષા કરવા જેટલા મજબૂત બની જાય છે. ઓરિસ્સામાં જનજાતિની પાંચ વર્ષની એક બાળકીને 2005માં વાઘ દ્વારા ખાઈ જવાથી બચાવવા માટે કૂતરા સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2003માં કોલકાતા નજીક આયર્ન સંથાલની ફૂર્વની જનજાતિની એક નવ વર્ષની કિશોરીને બચ્ચન નામના રખડતા કૂતરા સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં 100 મહેમાનોએ દારૂ પીને ડાન્સ પણ કર્યો હતો. 

ભારતની પૌરાણિક કથાથી માંડીને ભારતમાં કૂતરા અને માનવી વચ્ચે સંભવતઃ એક અજીબ નાતો રહ્યો છે અને હજી કંઈ પણ બદલાયું નથી. એ વાતે જરાય ચિંતા નથી કે આપણા સુડો પશ્ચિમી લેખકો કેટલા નારાજ છે. અને તેઓ ભારતીય કૂતરાને પોમેરિયન સાથે બદલવા ઉત્સુક છે. પછી ભલે એ ગમે એ રીતે થાય. 

આ લોકડાઉને ફક્ત બતાવ્યું છો કે ભારતમાં કૂતરાની સુરક્ષિતતા કરવાની હિલચાલ વધી છે. જોકે હજી પણ ક્યારેક કેટલાક નશો કરતા લોકો જ્યારે પત્નીને નથી મારી શકતા, ત્યારે તેઓ પ્રાણીઓ (કૂતરાઓ) પર તેમનો ગુસ્સો કાઢે છે. જોકે ઘૃણાની સામે દયાભાવ જીતી જાય છે.    

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)