દર્દશામક દવાઓ જન્મનાર બાળકને નપુંસક બનાવી શકે

ર્ભાવસ્થામાં દર્દશામક દવાઓ લેવાથી નહીં જન્મેલું બાળક નપુંસક હોવાનું જોખમ રહે છે. એક સંશોધનમાં દાવો કરાયો છે કે ઇબુપ્રૉફેન અને પેરાસિટામૉલનો ગર્ભાવસ્થામાં ઉપયોગ નુકસાનકારક છે. તેનાથી ન માત્ર યુવતીઓની પ્રજનન ક્ષમતા નબળી થાય છે, પરંતુ સાથે નહીં જન્મેલા બાળકની ફળદ્રુપતા પર પણ અસર પડે છે.

અભ્યાસકર્તાઓએ કહ્યું છે કે દર્દશામક દવાઓના ઉપયોગથી બાળકમાં વિકલાંગતાનું જોખમ પણ વધે છે. બીજી તરફ મહિલાઓમાં જલદી મેનૉપૉઝ આવી જવાનું જોખમ થાય છે. દર્દશામક દવાઓ ગર્ભાશયમાં ઈંડાંનું ઉત્પાદન ઝડપથી કરવા લાગે છે. જ્યારે ગર્ભાશય ખાલી થઈ જાય છે ત્યારે મેનૉપૉઝનું જોખમ વધી જાય છે.બ્રિટનના એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાઓનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ દર્દશામક દવાઓ લેવાથી બચવું જોઇએ. ખૂબ જ દુખાવો થાય તેવી સ્થિતિમાં પેરાસિટામૉલ લઈ શકાય છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. અમેરિકામાં એક અનુમાન મુજબ ગર્ભાવસ્થામાં ત્રણમાંથી એક મહિલા દર્દનિવારક દવાનો ઉપયોગ કરે છે.

સંશોધનમાં જણાવાયું છે કે દર્દશામક દવાઓનો અતિ ઉપયોગ કરવાથી ડીએનએ પર માર્ક આવી શકે છે. જે અંડાશયને એક સપ્તાહ સુધી પેરાસિટામૉલના સંપર્કમાં રાખવામાં આવ્યું તેનું ઇંડાનું ઉત્પાદન ૪૦ ટકા સુધી ઘટી ગયું હતું તો બીજી તરફ ઇબુપ્રૉફેનના સંપર્કમાં રાખવાથી આ સંખ્યા અડધી થઈ ગઈ હતી સંશોધનમાં જાણવા મળ્યું કે દવાના ઉપયોગથી  ભ્રૂણના વીર્ય અને ઈંડાં બનાવતા કોષોની સંખ્યા ઘટી ગઈ હતી.

ડોક્ટરોનું કહેવું છે કે લોકોમાં દર્દશામક દવાઓનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દર્દશામક દવાઓમાં એસિટામિનૉફેન હોય છે અમેરિકામાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્યાં લોકો એસિટામિનૉફેનનો હાઇ ડૉઝ લે છે. સામાન્ય ઉધરસ અને શરદીમાં પણ દર્દશામક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તાવમાં પણ એસિટામિનૉફેનનો ઉપયોગ કરનારા એવું સમજે છે કે તેનાથી તાવ દૂર થઈ જશે. આ બાબત ખોટી છે.

ચિકિત્સકોનું કહેવું છે કે વધુ દર્દશામક દવાઓ ખાવાથી લીવર તેમજ કિડની પર પણ અસર પડે છે જે લોકો લાંબા સમય સુધી પેઇન કીલરનો હાઇ ડૉઝ લે છે તેમનું લીવર નબળું પડી જાય છે ૨૦૦૬થી ૨૦૧૫ની વચ્ચે યુરોપીય દેશોમાં ફ્રાન્સ સૌથી વધુ દર્દશામક દવાઓનો ઉપયોગ કરનાર દેશ હતો. ત્યાં સૌથી વધુ લોકોએ દર્દશામક દવાઓ લીધી હતી ચિકિત્સક જરૂરિયાત હોય તો સપ્તાહમાં ૪,૦૦૦ મિલીગ્રામ સુધી દર્દશામક દવાઓ લેવાની ભલામણ કરે છે.

ગર્ભાવસ્થાવાળી સ્ત્રી હોય કે પછી કોઇ પણ વ્યક્તિ, દર્દશામક દવાઓ આમ પણ આરોગ્ય માટે સારી નથી તેનાથી ઘણી બધી આડઅસરો પેદા થાય છે અને આથી જ ડૉક્ટરો સલાહ આપતા હોય છે કે દર્દીને બને ત્યાં સુધી સહન કરી લેવું અથવા તેના નિર્દોષ ઉપાયો કરવા પરંતુ પેઇનકિલર તો ન જ લેવી.