ડાયાબિટીસ, કેન્સર, અનિદ્રા અને બીપીનો એક ઈલાજ કયો?

શું તમને ડાયાબિટિસ અને અનિદ્રાની સમસ્યા છે? તો તમારે આ ઉપાય (આરોગ્ય નિષ્ણાતની સલાહ લઈને) અજમાવવો જ જોઈએ. આ ઉપાય છે ડુંગળીની ચા! ડુંગળીની ચા ડુંગળીનાં છોતરાંથી બને છે. તેમાં ક્વેરસેટિન નામનું પિગમેન્ટ હોય છે જેના અનેક ફાયદા છે. તે લોહીનો ગઠ્ઠો બનતા રોકે છે જેનાથી હાઇપરટેન્શનનો ખતરો ઓછો થાય છે. તે ઉપરાંત જો ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેમાં પણ ડુંગળીની ચા બહુ જ ફાયદો કરાવે છે.

એવા ઘણા લોકો છે જેઓ ચાના શોખીન હોય છે અને તેમની સવાર ચા વગર પડતી જ નથી. પરંતુ ઘણી વાર તમારી ચા તમારા માટે પેટની સમસ્યાઓનું કારણ બની જાય છે. ચાથી ગેસ કે અપચાની સમસ્યા સામાન્ય છે, પરંતુ આજે તમે એવી ચા વિશે જાણવા જઈ રહ્યા છો જે પીવાથી તમે તાજગી તો અનુભવશો જ પરંતુ વજન ઘટાડવા અને ડાયાબિટિસ જેવી સમસ્યાઓમાં પણ તમને ફાયદો મળશે. ડુંગળીની ચા ડુંગળીનાં છોતરાંથી બને છે. તેમાં ક્વેરસેટિન નામનું પિગ્મેન્ટ હોય છે. આ પિગ્મેન્ટના અનેક ફાયદા છે. તે લોહીનો ગઠ્ઠો જામવાથી અટકાવે છે. તેનાથી હાઇ બીપીનું જોખમ પણ ઓછું રહે છે. તે ઉપરાંત જો તમને નીંદર ન આવવાની સમસ્યા હોય તો પણ તમારે ડુંગળીની ચા પીવી જોઈએ. પણ તમે કહેશો કે ડુંગળીની ચા બને કેવી રીતે? તો આવો જાણીએ તેને બનાવવાની વિધિ.

ડુંગળીની ચા બનાવવાની વિધિ આ પ્રમાણે છે. ડુંગળીની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક ડુંગળીને ધોઈને તેને ઝીણી સુધારો. હવે એક કપ પાણી લો. તેમાં ડુંગળીના કાપેલા ટુકડાને નાખી તેને ઉકાળી લો. તેમાં લીંબુનો રસ અને ગ્રીન ટી મેળવો. તે ઉપરાંત સ્વાદ માટે મધ પણ નાખી શકો છો. તો આ સાથે તૈયાર છે તમારી સ્વાસ્થ્યવર્ધક ડુંગળીની ચા.

ડુંગળીની ચાનું સેવન કરવાથી ટાઇપ-૨ ડાયાબિટિસના રોગીઓને રાહત મળે છે. ડુંગળી ગ્લુકૉઝની પ્રક્રિયાને વધુ સારી કરીને ઇન્સ્યુલન્સ વધારવાનું કામ કરે છે જેનાથી આ પ્રકારના દર્દીઓને ફાયદો થાય છે. આમ, ડુંગળીની ચા ટાઇપ-૨ ડાયાબિટિસના દર્દીઓને ફાયદાકારક છે.

ડુંગળીની ચા કેન્સરના દર્દીઓને પણ લાભદાયક છે. કેન્સર જેવી ખતરનાક બીમારીઓમાં પણ ડુંગળીની ચાનું સેવન લાભદાયક હોય છે. તેમાં કેન્સરના કોષોને વધતા રોકવા અને કૉલૉન કેન્સરને ઠીક કરવાની ક્ષમતા હોય છે. ડુંગળીમાં ઓગળી શકે તેવા ફાઇબર હોય છે જે ત્વચા અને આંતરડાનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને કેન્સરના કોષોને બનતા અટકાવે છે.

જે લોકો સ્થૂળતાની સમસ્યાથી હેરાન છે તેવા લોકોએ પણ ડુંગળીની ચા પીવી જોઈએ. જો આ ચાને સતત બે અઠવાડિયા સુધી પીવામાં આવે તો તે શરીરની બધી ચરબીને દૂર કરી તમને સુડોળ પાતળું શરીર આપી શકે છે. પરિણામે તમારું વજન ઘટી શકે છે. આ ચા પીવાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને વ્યક્તિનું પેટ ચેપથી બચે છે.

તમે કહેશો કે અનિદ્રાની વાત તો રહી જ ગઈ. હવે તે વાત પણ કરી લઈએ. ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે. પાસે પૈસો પુષ્કળ હોય પરંતુ એ પૈસો શું કામ જે શારીરિક સુખસગવડ ન આપી શકે? તબિયત સારી ન હોય તો પાસે રહેલો પૈસો કંઈ કામમાં આવતો નથી. જો પૂરતી ઊંઘ સારી ન આવે તો આખો દિવસ માથું ભારે લાગે, આળસ આવે અને દિવસે ઊંઘ જેવું લાગ્યા કરે. આથી રાત્રે એકધારી પૂરતી ઊંઘ જરૂરી છે. ડુંગળીની ચા પીવાથી અનિદ્રાની સમસ્યામાં પણ રાહત મળી શકે છે. તેનાથી ઊંચું બીપી રહેતું હોય તો પણ તે ઓછું થઈ શકે છે તેમ આરોગ્ય નિષ્ણાતો માને છે.

શરદી અને ઉધરસમાં પણ ડુંગળીની ચા ફાયદારૂપ છે. ડુંગળીમાં વિટામીન સી હોય છે જે શરદી અને ઉધરસથી બચાવે છે. જો તાવ, શરદી કે ઉધરસ હોય તો આ ચા પીવાથી રાહત મળે છે.