લીલું મરચું સૌંદર્ય અને યુવાની ટકાવી રાખે છે!

લીલાં મરચાં. મરચાંના નામથી ગાંઠીયા યાદ આવી જાય, ભજીયાં યાદ આવી જાય, એ પછી યાદ આવી જાય ગોટા. ખમણ હોય કે ઢોકળાં તેની સાથે તળેલા લીલા મરચા તો જોઈએ જ. પરંતુ આ બધી જ ચીજો સાથે તે જાણવું જરૂરી બને છે કે લીલાં મરચાં સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ગુણોનો ખજાનો છે.  આ વાતની શું તમને ખબર છે? જો તમે લીલાં મરચાંના ફાયદા ન જાણ્યા હોય તો જાણો લીલાં મરચાં ખાવાના સાત આરોગ્યપ્રદ ફાયદા. તમે જાણીને ચોકી જશો.લીલાં મરચાંના આરોગ્ય ઉપરાંત સૌંદર્યલક્ષી ફાયદા પણ છે. લીલું મરચું ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને નસોમાં તેનો પ્રવાહ તેજ થાય છે. તેનાથી ચહેરા પર ખીલની સમસ્યા નથી થતી. મરચામાં વિટામીન સી અને વિટામીન ઇ હોય છે. ખીલ પર લીલાં મરચાંનો લેપ લગાવવાથી ખીલ બેસી જાય છે. ખંજવાળમાં મરચાંના તેલને ગરમ કરીને માલિશ કરવાથી આરામ મળે છે. ઉનાળામાં તો મરચું વધુ સારું રહે છે. ભોજન સાથે મરચું ખાવાથી લૂ નથી લાગતી.

એક સંશોધન અનુસાર, લીલાં મરચાંથી હૃદય સાથે સંબંધિત બધી જ બીમારીઓ સાજી થઈ જાય છે અને હૃદય માટે લીલું મરચું ઘણું ફાયદાકારક હોય છે. તેનાથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા પણ ઠીક થઈ જાય છે.

તમારા પાચનતંત્રને તે મજબૂત કરે છે અને પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે. લીલાં મરચાંમાં ફાઈબર પણ ઘણા પ્રમાણમાં હોય છે. તેના લીધે મરચું ભોજનના પાચનની ક્રિયા ઝડપી બનાવે છે.

આર્થરાઈટિસના દર્દીઓ માટે પણ લીલું મરચું ઘણું ફાયદાકારક છે. તે ઉપરાંત તે શરીરના અંગોમાં થતા દર્દને પણ ઓછું કરવામાં સહાયક હોય છે

તેમાં પ્રચૂર માત્રામાં મળી આવતું  વિટામીન સી ઈજા કે ઘાને બચાવવાના કામમાં સહાયક થાય છે. વિટામિન-સી હાડકાં, દાંત અને આંખો માટે પણ ફાયદાકારક હોય છે

લીલાં મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોવાને કારણે રોગો સામે લડવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે અને આપણી પ્રતિરોધક ક્ષમતા પણ મજબૂત થાય છે. લીલુ મરચું ખાધા પછી તમારું બંધ નાક ખુલી જવાનું કારણ પણ આ જ છે

કેન્સર સામે લડવા અને શરીરને સુરક્ષિત રાખવા માટે પણ લીલું મરચું ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ઍન્ટી ઑક્સિડન્ટ હોય છે જે શરીરની આંતરિક સફાઈ સાથે ફ્રી રેડીકલ થી બચાવીને કેન્સરના ખતરાને ઓછો કરે છે. ઍન્ટિ ઑક્સિડન્ટના લીધે ત્વચા સારી રહે છે. કરચલી ઝડપથી પડતી નથી. લીલાં મરચામાં રહેલું વિટામિન ઇ ત્વચા માટે ફાયદાકારક પ્રાકૃતિક તેલનું ઉત્પાદન કરે છે જેનાથી તમારી ત્વચા પોતાની રીતે જ સારી થઈ જશે.

લીલું મરચું ખાવાથી તેના એન્ટી બૅક્ટેરિયલ ગુણના કારણે ચેપ લાગતો નથી. તેથી તમને ત્વચાના રોગ થતા નથી. મહિલાઓમાં ઘણી વાર લોહતત્ત્વની કમી થાય છે. જો મહિલાઓ ભોજનમાં લીલું મરચું લેશે તો આ ઉણપ પૂરી થઈ જશે.

લીલાં મરચામાં ફાઇટોન્યૂટ્રિસિયન્ટ હોય છે. તેનાથી તમારી ઉંમર તમારા શરીર પર દેખાતી નથી. પરંતુ આ માટે તળેલું મરચું નહીં, કાચું મરચું ખાવું જોઈએ.

લીલાં મરચાંમાં કેલેરી ઓછી હોય છે અને તે વધારાની ચરબીને ઘટાડવામાં સહાયતા કરે છે અને આમ તમારું વજન નિયંત્રણમાં રહે છે. બ્લડ પ્રૅશર નિયંત્રિત કરવામાં પણ લીલું મરચું ફાયદાકારક છે. ડાયાબિટિસ હોય તો પણ લીલાં મરચામાં બ્લડ પ્રૅશરને નિયંત્રણમાં રાખવાનો ગુણ હોય છે.

લીલાં મરચાંના સેવનથી ફેફસાના કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. આથી ધૂમ્રપાન કરનાર વ્યક્તિએ લીલું મરચું પોતાના ભોજનમાં વધુ સામેલ કરવું જોઈએ કારણકે તેનાથી ફેફસાના કેન્સરનો ખતરો સૌથી વધુ હોય છે.

જોકે અહીં આપવામાં આવતા નુસખા આરોગ્યનિષ્ણાતની સલાહ પછી જ અમલમાં મૂકવા હિતાવહ છે.