લોકડાઉનમાં ઘરે જ કરો આ વર્કઆઉટ

કોરોનાવાઈરસ ક્વોરેન્ટાઈન પ્લાન: તમારા દિવસની શરૂઆત યોગ અને પૌષ્ટિક આહારથી કરો. ઘરે બનાવેલુ ભોજન ખાઓ. રાતે સૂવાના સમયે એક કપ હળદરનું દૂધ પીવો, તે તમારી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં આશ્ચર્યકારક કામ કરી શકે છે.

તમારા દિવસની શરૂઆત સુત્તપદંગુષ્ટાસનથી કરો
આ યોગ મુદ્રા તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ યોગ આખા શરીરને જોડી રાખવામાં મદદ કરે છે. રોકવામાં મદદ કરે છે. આ આસન ઘરે સરળતાથી કરી શકાય છે.

સવારે ખજૂર અને અખરોટ લો
ખજૂરમાં અન્ટિઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં રહેલું હોય છે. બ્લડ સુગરને સંતુલિત કરવા માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેમજ બ્લડ પ્રેશરના સંચાલનમાં મદદ કરે છે. એ તમારા મગજના બુસ્ટર તરીકે પણ કામ કરે છે. બીજી બાજુ, અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્ ભરપુર માત્રામાં રહેલ હોય છે. તે બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને આંતરડાને પણ સુરક્ષિત રાખે છે.

નાસ્તા માટે ઇડલી ઉત્તમ
ઈડલી સંપૂર્ણ પણે એમિનો એસિડ પ્રોફાઇલ સાથે પૌષ્ટિક ભોજન છે. ઈડલી પેટ માટે હળવો ખોરોક હોવાની સાથે નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે.

સવારના નાસ્તા પછી અને બપોરના ભોજન પહેલાં
તમે કાળા મરી સાથે રસમની દાળનું સેવન કરી શકો છો. રસમ એકપ્રકારે દાળનો સૂપ છે. તમે તેને સવારના નાસ્તામાં અને બપોરના ભોજનની વચ્ચે મિડ-ડે ભોજન તરીકે લઈ શકો છો.

લંચમાં આ વસ્તુ ખાઓ: તમે અથાણાં અથવા દહીં સાથે પરોઠા ખાઈ શકો છો. અથાણાં અને દહીં તમને પ્રોબાયોટિક્સ પ્રદાન કરશે. અજમો એક શક્તિશાળી મસાલા છે જે પાચનમાં સુધારો કરવા માટે જાણીતું છે. અજમાવાળા પરોઠા એ પેટ ભરવા માટે પૌષ્ટિક લંચ છે જે તમે ઘરે જાતે બનાવી શકો છો.

વહેલું રાત્રિભોજન કરો: તમે બધા ઘર પર છો અને આ ખરેખર તે સમય છે જ્યારે તમે પ્રારંભિક રાત્રિભોજન કરી શકો છો. રાત્રિભોજન માટે તમે ખીચડી અને હોમમેઇડ પાપડ ખાઈ શકો છો. ડિનર અને સૂવાના ટાઇમ વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવાનો પ્રયાસ કરો.