ભારતમાં બાળકોને તમાકુ કંપનીઓથી ખતરો

ભારતમાં તમાકુ કંપનીઓ પોતાનાં ઉત્પાદનોની જાહેરાત શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ કરી રહી છે અને ઇરાદાપૂર્વક બાળકોને નિશાન બનાવી રહી છે તેવું એક તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે. ૨૦ શહેરોમાં જાહેરખબરોનો નિરીક્ષણ કર્યા પછી સંશોધકોએ એ પદ્ધતિનું વર્ણન કર્યું છે જેના દ્વારા તમાકુ ઉદ્યોગ નિયમોનો ભંગ કરી રહ્યો છે ખાસ કરીને ભોગ બની શકે તેવાં બાળકો અને યુવાનોને વેચીને.

કંપનીઓ તમાકુનાં ઉત્પાદનો દ્વારા કરી રહી છે અને શાળાઓ પાસે આવેલી દુકાનોમાં તેના વેચાણની વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને ભટકાવી રહી છે. આ દુકાનોમાં નીચા ભાવે સિગરેટ તમાકુના ઉત્પાદનો વેચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કાયદા પ્રમાણે તમાકુનાં ઉત્પાદનો ૧૮ વર્ષથી નીચેની ઉંમરની કોઈ પણ વ્યક્તિને તે ગુનો છે.

રાજ્ય સરકારો તમાકુની દુકાન અને એવી શરતે પરવાનગી આપે છે કે તમાકુનાં ઉત્પાદનો માટે વેચવા માટે અધિકૃત એવી દુકાનો અન્ય કોઈપણ બિન તમાકુ ઉત્પાદનો જેમ કે ટૉફી, કેન્ડી બિસ્કીટ, વેફર ઠંડા પીણાં વગેરે ની વેચી શકે છે ખરીદવા માટે સામાન્ય રીતે બાળકો આવતાં હોય. પરંતુ કાયદાનું ચુસ્ત પાલન ન થતું હોવાથી તેમજ જે સ્થળોએ આ રીતે ગેરકાયદે તમાકુનાં ઉત્પાદનો બાળકો અને યુવાનોને વેચે છે ત્યાં કોઇ તપાસ થતી ન હોવાથી આ પ્રકારનો ગેરકાયદે ધંધો ફુલ્યોફાલ્યો છે.

ગ્રાહકોના રક્ષણની સંસ્થા સાથે જોડાયેલા એક નિષ્ણાતના કહેવા મુજબ તમાકુ વપરાશ માટેના ભારતીય કાયદાનો અમલ કરવા માટે સરકારી સંસ્થા પૂરી નથી કે ન તો તેની ઈચ્છા શક્તિ છે. આ અભ્યાસ કન્ઝ્યુમર વૉઇસ અને વૉલ્યન્ટરી હેલ્થ એસોસિએશન વર્ષ ૨૦૧૭માં છ રાજ્યોમાં એક મહિના સુધી કર્યો હતો. તેમાં કુલ ૨૪૩ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. અભ્યાસ મુજબ જે નાનાનાના અને અન્ય દુકાનદારો છે ત્યાં તમાકુનાં ઉત્પાદન જેમ કે તમાકુ અને સિગરેટ સરળતાથી મળી રહે છે.

દુકાનદારો તમાકુનાં ઉત્પાદનોની જાહેરાત એ રીતે મૂકે છે જેનાથી બાળકો અને યુવાનો તેની માયાજાળના શિકાર બને. ૯૧ ટકા થાય તો બાળકના આંખનાથી માત્ર એક મીટર પર જ હોય છે. ૫૪ ટકા દુકાનોમાં આરોગ્યની કોઈ ચેતવણી હોતી નથી અને ૯૦ ટકા દુકાનોમાં કેન્ડી મીઠાઈ અને રમકડાંની પડખે તમાકુનાં ઉત્પાદનો ની જાહેરાત હોય છે.

વર્ષ ૨૦૧૬માં ભારતમાં લગભગ ૧૩ ટકા મૃત્યુ તમાકુ સંબંધિત કારણોથી થયાં હતાં. ભારત ધૂમ્રપાન કરનારા કે પછી તમાકુ ખાનારા લોકોની સંખ્યા ઘટાડવા કડક કાયદો અમલી કરવા પ્રયાસ કરી રહ્યું છે. ઘણાં તમાકુનાં ઉત્પાદનો પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. તમાકુના ઉત્પાદનો નો વપરાશ ઘટાડવા માટે સરકાર તેના પર સતત આકરા વેરા નાખી રહી છે તો સિગરેટના પેકિંગમાં ચિત્રાત્મક ચેતવણી પણ આપી રહી છે. ઘણા રાજ્યોમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મો-નાટકોમાં ધૂમ્રપાન વખતે આરોગ્યની ચેતવણી આપવામાં આવે છે તેમજ તમાકુનાં ઉત્પાદનો થી આરોગ્ય થતી અસરોની જાહેરખબરો આપવામાં આવે છે. તેમાં કેટલીક પ્રગતિ પણ થઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર તમાકુના ઉત્પાદન ૨૦૦૯-૧૦માં ૩૪.૬% હતું તે ઘટીને ૨૦૧૬-૧૭માં ૨૮.૬૬% થયું અને સિગારેટ પીનારા પૈકી ૬૨ ટકા લોકોએ તેને છોડી દીધી તેનું કારણ ચેતવણીનાં લેબલ હતાં. અમેરિકામાં ૨૦૧૭માં સિગારેટની સંખ્યા ૪૦%થી ઘટી ૧૪ ટકા થઈ હતી. જોકે ૪૦% સંખ્યાઓ ૧૯૬૦ના દાયકામાં હતી એનો અર્થ એ થયો કે ૧૯૬૦થી ૨૦૧૭ સુધીમાં આ સંખ્યા આટલી ઘટી છે. આના પ્રમાણમાં ભારતમાં બહુ ઝડપથી ઘટાડો થયો છે.

ભારતમાં એક સરકારી અહેવાલ પ્રમાણે ૧૫ થી ૧૭ વર્ષના લોકોમાં તમાકુનો ઉપયોગ ૨૦૧૦માં ૧૦% થી ૨૦૧૭માં ઘટીને ૪% થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે ભારતમાં તમાકુ થી દર વર્ષે ૧૦ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. ભારત સરકાર પ્રમાણે ધૂમ્રપાનની શરૂઆત સરેરાશ ૧૮.૯ વર્ષે થાય છે જ્યારે અમેરિકામાં સરેરાશ ઉંમર ૧૫.૩ અને યુરોપમાં છોકરાઓ માટે ૧૬ અને છોકરીઓ માટે ૧૫ છે.