અર્થપૂર્ણ ફિલ્મો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા આવશ્યકઃ શર્મિલા ટાગોર

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનું માનવું છે કે આપણા દેશમાં અર્થસભર ફિલ્મો પ્રદર્શિત કરી શકાય એ માટે મુક્ત વાતાવરણ તેમજ ફિલ્મ નિર્માતાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે જરૂરી છે.

શર્મિલા ટાગોરે અહીં ૧૯મા જિઓ MAMI (Mumbai Academy of the Moving Image ) મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2017ના ઉદઘાટન પ્રસંગે એમનું ‘એક્સલન્સ ઈન સિનેમા’ એવોર્ડ દ્વારા સમ્માન કરાયા બાદ પોતાનાં વિચાર રજૂ કરતી વખતે ઉપર મુજબ જણાવ્યું હતું.

એમણે વધુમાં કહ્યું કે મુંબઈ શહેરમાં રહીને હું આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા જાણી શકી છું. કલાકાર તરીકે અમારું જીવન ‘સ્ટાર્ટ સાઉન્ડ્સથી લઈને કટ’ શબ્દો વચ્ચે વ્યતિત થતું હોય છે. હું અર્થપૂર્ણ સિનેમાની તરફેણ કરું છું. એ માટે આપણે આવશ્યક્તા છે મુક્ત વાતાવરણ તથા વિચાર વ્યક્ત કરવાની સંપૂર્ણ આઝાદીની.

શર્મિલા ટાગોરને ‘એક્સલન્સ ઈન સિનેમા’ એવોર્ડ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને નીતા અંબાણીનાં હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન અભિનેતા કુણાલ કપૂર અને અદિતી રાવ હૈદરીએ કર્યું હતું.

કાર્યક્રમમાં સેન્સર બોર્ડના નવા ચેરમેન બનેલા અભિનેતા અનુપમ ખેર, MAMI ફિલ્મોત્સવનાં ચેરપર્સન અને આમિર ખાનના નિર્માત્રી પત્ની કિરણ રાવ, કંગના રણૌત, શ્રીદેવી, દિગ્દર્શકો કબીર ખાન, હંસલ મહેતા અને અનુરાગ કશ્યપ, અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રીઓ કોંકણા સેન-શર્મા અને નંદિતા દાસ સહિત બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ તેમજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફણડવીસના પત્ની અમૃતા ફડણવીસ ઉપસ્થિત રહ્યાં હતાં.

નીતા અંબાણી

MAMI ફિલ્મોત્સવના ઉદઘાટન દિવસે અનુરાગ કશ્યપની ‘મુક્કાબાઝ’ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ફિલ્મનો આ એશિયન પ્રીમિયર શો હતો.

આ ફિલ્મોત્સવ ૧૮ ઓક્ટોબર સુધી ચાલશે.

ઈટાલીયન અભિનેત્રી મોનિકા બેલુચી ૧૫ ઓક્ટોબરે ફિલ્મોત્સવમાં હાજરી આપશે.

શ્રીદેવી

રાજકુમાર રાવ

કિરણ રાવ

કંગના રણૌત

અનુરાગ કશ્યપ

આમિર ખાન

અનુપમ ખેર

કબીર ખાન અને નંદિતા દાસ