Thursday, May 15, 2025
Google search engine
HomeStory CornerKabirvaniકબીરવાણી: કાર્ય વિનાનો ઉપદેશ નિરર્થક છે

કબીરવાણી: કાર્ય વિનાનો ઉપદેશ નિરર્થક છે

કબીર દર્શન સાધુ કે, કરત ન કીજૈ કાનિ,

જ્યોં ઉદ્યમસે લક્ષ્મી, આલસ મનસે હાનિ.

 

આપણા મનમાં ઇચ્છાના તરંગો સતત ઊઠતાં જ રહે છે. દરેક ઇચ્છાની પૂર્તિ અશક્ય છે. સારી ઈચ્છા, સદ્વિચાર અને સત્સંગમાં પ્રમાદ કરવાથી હાનિ જ થાય છે. કબીરજી સંત્સંગ – દર્શન કરવામાં કોઈ આળસ ન કરવા કહે છે.

સતત અને સખત પરિશ્રમથી વ્યક્તિ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. જ્યારે આળસુ પ્રકૃતિના લોકોને બેદરકારીના કારણે હાનિ થાય છે. સંસ્કૃત સુભાષિત છે કે, સુતેલા સિંહના મોઢામાં હરણો પ્રવેશ નથી કરતા.” કોઈને કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો પુરુષાર્થ કરવો આવશ્યક છે.

આપણા દેશમાં પ્રારબ્ધવાદ ફૂલ્યોફાલ્યો છે. એક ઉક્તિમાં કહ્યું છે કે, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલૂકા કહી ગયે સબ કા દાતા રામ.” આમાં હકીકતદોષ છે. પક્ષીઓ તો હજારો કિ.મી. ઊડીને ખોરાક મેળવવા – ઇંડાં મૂકી પ્રજનન માટે સાઇબિરીયાથી ભારત આવે છે. આપણે કામ ટાળવાની વૃત્તિને વાજબી ઠેરવવા માટે પ્રારબ્ધ – નસીબ, ગ્રહયોગ, અવકૃપા જેવાં બહાનાઓ શોધી કાઢીએ છીએ. કબીરજી, જ્ઞાન-ભક્તિમાં ડૂબેલા હતા પણ વણકરનું કામ તજી દીધું ન હતું. કાર્ય વિનાનો ઉપદેશ નિરર્થક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular