Friday, June 27, 2025
Google search engine
HomeSpecial StoriesOpinionOpinion: વકફની જેમ સનાતની બોર્ડ? શું કહે છે લોકો?

Opinion: વકફની જેમ સનાતની બોર્ડ? શું કહે છે લોકો?

મુસ્લિમ ધર્મના વકફ બોર્ડની જેમ સનાતનધર્મનું પણ સનાતન બોર્ડ બનાવવાની માગણી પાછલા ઘણા સમયથી ચાલી રહી છે. અંતેપ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં સનાતન બોર્ડનો ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો છે.27મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમૃત સ્નાન લેવા માટે ત્રિવેણી સંગમપહોંચ્યા હતા. જ્યાં સ્નાન બાદશંકરાચાર્ય, ધર્માચાર્યો, સાધુ-સંતો, કથાકારોની બહુ મોટી ધર્મ સંસદ મળી હતી. આ ધર્મસંસદમાં અમિત શાહેસનાતન બોર્ડનો ઠરાવ પસાર કર્યો હતો. આ ઉપરાંત બેઠકમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટનાબૂદ કરવાની માગ જોરશોરથી ઉઠાવવામાં આવી હતી.

કથાકાર અને ઉપદેશક દેવકીનંદન ઠાકુરની આચળવળનો 27 જાન્યુઆરીના અંત આવી ગયો. પણ સવાલ એ થાય કે શું આપણે ધર્મની રક્ષા માટેસનાતન બોર્ડની જરૂર છે?

મુફ્તી રિઝવાન તારાપુરી, પ્રમુખ, મિલી કાઉન્સિલ ગુજરાત યુનિટ

આપણા દેશમાં તમામ ધર્મને પોતાના મંડળ કે બોર્ડ બનાવવાનો પૂર્ણ અધિકાર હોય છે. હા એવાત છે કે બોર્ડ કે મંડળ બનાવવામાં કોઈને વાંધો કે વિરોધ ન થવો જોઈએ. જો વક્ફબોર્ડની સામે સનાતન બોર્ડ બનાવવામાં આવતું હોય તો પણ મુસ્લિમ સમાજ માટે તેમાં કોઈપણ વસ્તુ ઉમેરવામાં આવી નથી. પરંતુ જો વક્ફ બોર્ડને હટાવી તેની જગ્યા પર સનાતનબોર્ડ બનાવવામાં આવતું હોય તો, તે ઉદ્દેશ્ય બરાબર નથી. મુસ્લિમ સમાજને સનાતન બોર્ડની કોઈપણ વસ્તુથી વાંધો નથી. દરેક ધર્મને પોતાના ધર્મને સંબંધિત વસ્તુ સુરક્ષિતકરવાનો બંધારણીય રીતે અધિકાર છે.

મહંત શ્રી હરીવલ્લભદાસજી સ્વામી, ચૈતન્યહનુમાન મંદિર, ઉઘલાવદર

હિંદુ સનાતની માટે આ બોર્ડ જરૂરી છે. હિંદુ સનાતની માટે કોઈ પણ સત કાર્ય થતું હોય ત્યારે આપણી બધાની સહમતી હોવી જરૂરી છે. આપણા મંદિરો કે એવા ધર્મને લગતા બાંધકામ જે વર્ષો જુના હોવા છતાં અડીખમ છે. આ વારસાનું જતન કરવા માટે જો કોઈ કમિટી કે બોર્ડ હોય તો, એમા કોઈ ખોટી વાત નથી. આપણે કોઈ બીજા ધર્મના બોર્ડ કે કમિટીને જોઈ તેની આંગળી સામે આંગળી નથી મુકી રહ્યા. આમ તો આ બોર્ડમાં બીજા કોઈ પણ ધર્મને હાની પહોંચે તેવી કોઈ વાત પણ કરવામાં નથી આવી. આ બોર્ડ આપણી સંસ્કૃતિ અને પરંપરાને વર્ષો વર્ષ સુધી જીવંત રાખવા મદદ રૂપ સાબિત થઈ શકે છે.

પાર્થ રાવલ, એડવોકેટગુજરાત હાઇકોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ

સનાતની માટે સનાતન બોર્ડની ચોક્કસપણે જરૂર છે, કારણ કે જે ચીર કાળ સુધી ચાલતો ધર્મ જેનો કોઈ અંત નથી. તમામને સમાવી લેવાની વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતો કોઈ ધર્મ છે તો તે માત્ર સનાતનધર્મ છે. આપણા સનાતન ધર્મના મઠ, મંદિર, સ્થાપત્ય, વાવ, તળાવ કે હજારો વર્ષ જૂના છે. પરંતુ તે આર્થિક વિષયના કારણે તેનું સંરક્ષણ તેનોવિકાસ અને પ્રચાર કરવામાં અમુક અંશે નિષ્ફળ ગયેલા છીએ. જે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો ભાગ હોય તેનું જતન કરવું ખૂબજરૂરી છે. જે અત્યારના મોર્ડન એન્જિનિયરિંગ દ્વારા પણ બનાવવું મુશ્કેલ હોય તેવો વારસો મઠ, મંદિર, અને સ્થાપત્યો છે. જે વર્ષોથી જર્જરિત અવસ્થામાં હોય તેનું સમારકામ કરી જાળવી રાખવું ખૂબ જરૂરી છે. વિશ્વમાં જે દેશપોતાની સંસ્કૃતિ ભૂલી ચૂક્યા છે તે તમામ દેશનું નામ સેસ થઈ ચૂક્યું છે. આપણે પ્રમુખ વેદોનું જ્ઞાન આજની પેઢીને આપવા માટે આપણા વારસાનું સંશોધન, સંરક્ષણ કરવા માટે આપણે સનાતન બોર્ડની જરૂર છે. સનાતનમાં ફક્ત હિન્દુ ધર્મ કે ફકત મનુષ્યનો જ સમાવેશ નથી થતો સનાતનમાં સમગ્ર વિશ્વમાં વસતા તમામ જીવો (પ્રાણી, પક્ષી, મનુષ્ય વગેરે તમામજીવ)નો સમાવેશ થાય તે માટે જરૂરી છે. ભારતના બંધારણ મુજબ પણ સનાતનબોર્ડ ની રચના શક્ય છે.

વૈષ્ણવાચાર્ય શ્રીહરિરાયજી મહોદયશ્રી, અમદાવાદ

સાંપ્રત સમય માં જે વિષય ચાલી રહ્યો છે કે સનાતન ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન અને સંરક્ષણ માટે સનાતન બોર્ડનું ગઠન થવું જોઈએ તેમાં અમારું વ્યક્તિગત રીતે સમર્થન છે, આ આજના સમયમાં આપણી આવશ્યકતા છે, અમે એવું માનીએ છીએ કે આ સનાતન બોર્ડથી આપણે સૌ સનાતનીયોમાં એકતા તેમજ સ્વધર્મ નિષ્ઠાની જ્યોતિ પ્રગટ થશે, આપણા સનાતન સાહિત્ય, દેવસ્થાન, સદગ્રંથો, સમાજ, સંતો તેમજ સનાતન વિચાર જેમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના રહેલી છે, તેની સેવા અને સંવર્ધન માટે સનાતન બોર્ડ એક ઉત્તમ પ્રકલ્પ સિદ્ધ થશે..!!

ડી. એચ. અમિન, કવિ અને લેખક

પ્રાચીન ભારતીય સનાતન પરંપરાનો વિકાસ અને હિંદુ ધર્મના પ્રચાર પ્રસારમાં આદિ શંકરાચાર્યનું મહાન યોગદાન છે. એમણે ભારતીય સનાતન પરંપરાને પુરા દેશમાં ફેલાવવા માટે ભારતના ચારેય ખૂણામાં ચાર શંકરાચાર્ય મઠની સ્થાપના કરી હતી અને દશનામી અખાડા અને નાગાબાવાની ફોજ બનાવી ધર્મની રક્ષા કરી. આ ચારેય મઠ આજે પણ ચાર શંકરાચાર્યોના નેતૃત્વમાં સનાતન પરંપરાના પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે. તેથી એમ કહી શકાય કે સનાતન ધર્મની મુખ્ય જે વિચારધારા છે. તે સમગ્ર રીતે જ્ઞાતિ જાતિ ધર્મ પ્રાંત ભાષાને ભૂલી એક મનુષ્ય ધર્મની જ્યોત માનવ હૃદયમાં પ્રગટે તે ખૂબ જરૂરી છે, સનાતન ધર્મ બ્રહ્માંડને એક સૂત્રતામાં બાંધવાની વાત કરે છે. જે ખરા અર્થમાં જે વૈચારિક મતભેદ, સમગ્ર જીવ સૃષ્ટિ અને કુદરતમાં એક વિષ રૂપેન ફેલાય અને એક અમૃત વિચારધારા બને, સંદિગ્ધ મતમતાંતરોને કારણે ધર્મ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે. વિશ્વના સર્વે ધર્માધિકારી અને તેના અનુયાયીઓ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને એકમાનવ કરુણાની પરિભાષા શીખવા માટે આ સનાતન બોર્ડ જરૂરી છે.

(તેજસ રાજપરા, અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular